Ayushman vay vandana card App for senior citizens: ઘરે બેઠા મેળવો વય વંદના કાર્ડ, PMJAY એપથી નીકળશે, જુઓ નવી અપડેટ

Ayushman vay vandana card App for senior citizens:સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે  નવું પગલું ભરતા સરકાર હવે આયુષ્માન એપના માધ્યમથી આયુષ્માન વય  વંદના કાર્ડ આપશે.  આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ,રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય બીમા યોજના હેઠળ ભારત સરકાર 70 વર્ષ અથવા એનાથી વધારે વયના વ્યક્તિઓને રૂપિયા પાંચ લાખ સુધી મફત સારવાર માટેનું કવરેજ આપે છે. 

PMJAY- આયુષ્માન ભારત શું છે ? 

 ભારત સરકાર દ્વારા 23 સપ્ટેમ્બર 2018 ના દિવસે આયુષ્માન ભારત- PMJAY યોજના શરૂ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય પ્રતિકરણ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા ચલાવવામાં આવતી આ યોજના સમગ્ર દેશ ભરના માધ્યમિક અને તૃતીય સાર્વજનિક તેમજ સુચિબદ્ધ હોસ્પિટલમાં  મફત સારવાર આપે છે. 

 70 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન ભારત વય વંદના કાર્ડ: પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો  મેળવવા માટે શું કરવું ? 

આયુષ્માન ભારત- PMJAY યોજના માટે કોણ અરજી કરી શકે છે ?

 આ યોજના હેઠળ 70 વર્ષ અથવા તો તેનાથી વધારે આયુ ના તમામ વરિષ્ઠ નાગરિકો ભલે તેમની આર્થિક સ્થિતિ કોઈપણ હોય તેઓ   રૂપિયા પાંચ લાખ સુધીના મફત સારવાર માટે પાત્ર છે. 

 આયુષ્માન ભારત PMJAY વય વંદના કાર્ડ માં વરિષ્ઠ નાગરિકોને (70+) કયા કયા લાભ મળે છે? 

 સરકાર હવે 70 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે   સારો નિર્ણય લીધો છે.  તો હવે આયુષ્માન એપ અથવા વેબસાઈટ ના માધ્યમથી પોતાનું આયુષ્માન વય વંદના કાર્ડ મેળવી શકે છે.   અને રૂપિયા પાંચ લાખ સુધી મફત સારવાર કરાવી શકે છે.  

 સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x  પર પોસ્ટ મુકતા કહ્યું છે “ 70 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો હવે આયુષ્માન એપના માધ્યમથી પોતાનું કાર્ડ મેળવી શકે છે. 

પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? HOW TO APPLY PMJAY VAY VANDANA CARD 

સૌપ્રથમ આયુષમાન એપ ડાઉનલોડ કરો.

. લાભાર્થી અથવા ઓપરેટર ના રૂપે લોગીન કરો.

તમારો મોબાઈલ નંબર કેપ્ચા કોડ ત્યાં દાખલ કરીને વેરિફિકેશન કરો.

OTP  અને કેપ્ચા કોડ ત્યાં દાખલ કરીને ફરીથી લોગીન કરો.

 રાજ્ય અને અન્ય માહિતી દાખલ કરો.

 જો કોઈ પણ લાભાર્થી  ના મળે, તો E-KYC પ્રક્રિયા સાથે આગળ વધો.

 લાભાર્થીનો મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો.

 તમારી  કેટેગરી અને પીનકોડ વગેરે માહિતી ભરો.

 તમારા કુટુંબના  સભ્યોની તમામ માહિતી જોડો અને સબમીટ બટન પર ક્લિક કરો.

E-KYC  પૂરું થઈ ગયા પછી, તમે આયુષ્માન  વય વંદના કાર્ડ  ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો-

Leave a Comment