PM Surya Ghar muft BIjli Yojana Subsidy 2025 : સોલર પેનલ લગાવવા પર ફક્ત આ લોકોને મળશે રૂપિયા 30,000 સબસિડી 

PM Surya Ghar muft BIjli Yojana Subsidy 2025 :ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે.  દેશના જુદા જુદા વર્ગના નાગરિકોને સરકારનો અલગ અલગ યોજનાઓનો લાભ મળે છે.  અત્યારના સમયમાં આપણા દેશમાં જોરદાર ગરમી પડી રહી છે.  અને આ ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો કુલર અને એસી નો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે.  પરંતુ તેના કારણે તેમના ઘરનું  વીજળીનું બિલ વધી રહ્યું છે. 

 પરંતુ આ વીજળીના બિલથી છુટકારો જણાવવા માટે સરકાર દ્વારા એક નવી યોજના ની શરૂઆત કરવામાં આવી છે.  આ યોજના હેઠળ લોકોના ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવે છે.  જેમાં પોતાના ઘર પર સોલર પેનલ લગાવવા પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.  જે નાગરિકો દિલ્હીમાં રહે છે તેમને બીજા રાજ્યોની સરખામણીમાં વધારે સબસીડી મળશે.  તો ચાલો જાણીએ કે આ સબસીડી નો લાભ કોણ કોણ મેળવી શકે છે. 

 દિલ્હી સરકાર આપશે રૂપિયા 30,000 ની સબસીડી

 દિલ્હી સરકાર દ્વારા દિલ્હી નાગરિકોને નવી ભેટ મળી છે.  મંગળવારના રોજ દિલ્હી કેબિનેટ ની બેઠકમાં એક મોટા ફેસલાને  અને મંજૂરી મળી છે. હવે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ દિલ્હીમાં સોલર પેનલ લગાવવા પણ સરકાર દ્વારા રૂપિયા 30,000 ની સબસીડી મળશે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ સરકાર 78 હજાર રૂપિયા સબસીડી આપે છે. 

 હવે દિલ્હી સરકાર રૂપિયા 78 હજાર રૂપિયાની સબસીડી સાથે દિલ્હીના નાગરિકોને સોલર પેનલ લગાવવા પર રૂપિયા 30,000 ની સબસીડી પણ આપશે.  એટલે કે જો કોઈ નાગરિક પ્રધાનમંત્રી યોજના હેઠળ સોલર પેનલ લગાવે છે તો તેને કુલ 1 લાખ 8 હજાર રૂપિયા સબસીડી મળશે.

કોને મળશે આ યોજનાનો લાભ ? 

 તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારની આ યોજનાનો લાભ ભક્ત દિલ્હીના નાગરિકોને જ મળશે આ યોજના હેઠળ ફક્ત એવા જ લોકો પોતાના ઘર પર સોનલ લગાવી શકે છે.  જેમની પાસે પોતાનું ઘર છે અને તેની છત ખુલ્લી છે.  જે લોકો ફ્લેટમાં રહે છે તેમને આ સુવિધા મળશે નહીં.  આ યોજનામાં અરજી કરવા માટે તમારે યોજનાની ઓફિશિયલ વેબસાઈટ  https://pmsuryaghar.gov.in/ પર જવાનું રહેશે. 

Read more-

Leave a Comment